નાટક, ફિલ્મ, ગીત-સંગીત અને ધાર્મિક મેળાવડાઓની મોસમ છે... 06/02/2016 7:31 am Nilesh Parmar વડોદરાના માર્કંડ ભટ્ટે આંખો મીચી લીધી. ગુજરાતનાં નાટ્યક્ષેત્રે થોડાક સમય પહેલાં પદ્મારાણીનું અવસાન થયું તે પછીની આ વિદાય રંગભૂમિના કલાકારોને શોક સંતપ્ત બનાવે તે સાવ સ્વાભાવિક છે. ગુજરાતની રંગભૂમિ કંઈ આજકાલની કલા નથી, તેને ય દોઢસોથી વધુ વર્ષ વીત્યાં! શરૂઆત (બીજાં ઘણાં ક્ષેત્રોની જેમ) પારસીઓએ કરી હતી, પછી ઠેર ઠેર નાટક મંડળીઓ રચાઈ. ક્યાંક રાજ્યાશ્રય પણ મળ્યો.