'શ્રવણ સન્માન' અને 'વડિલ સન્માન' 25/01/2016 9:18 am Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડના સહયોગથી શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ મંદિરના હોલમાં 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા વડિલોના માન સન્માન કરવાના કાર્યક્રમનું ફરી વખત સરસ આયોજન કરવામાં આવ્યું હોવાના સમાચાર જાણીને ખૂબજ આનંદ થયો. આ વખતે તો તમે વૃધ્ધ વડલા સમાન માતા - પિતા અને અન્ય સગા સંબંધીઅોની ખરા દિલથી સેવા કરનાર દિકરા-દિકરીઅો અને તેમના ઘરના લોકોનું બહુમાન કરવાના છો તે ખરેખર સેવાનું કામ છે.