• નિર્વાસિત બાળકોને યુકેમાં પ્રવેશની વિચારણા 26/01/2016 8:33 am Achyut Sanghavi વડા પ્રધાન ડેવિડ કેમરન સીરિયન અને અફઘાન સહિતના ૩,૦૦૦ શરણાર્થી માઈગ્રન્ટ બાળકોને યુકેમાં પ્રવેશ આપવાની યોજના વિચારી રહ્યા છે. આગામી થોડાં સપ્તાહમાં તેનો નિર્ણય લેવાશે. સેવ ધ ચિલ્ડ્રન સહિતની ચેરિટીઝ દ્વારા રખાયેલી દરખાસ્તો પર કેમરન વિચાર કરી રહ્યા છે. માતાપિતા વિનાના હજારો શરણાર્થી બાળકો યુરોપમાં આવી ગયાં છે. બ્રિટને લેબેનોન અને જોર્ડન સહિતના દેશોના કેમ્પ્સમાં રહેલા ૨૦,૦૦૦ શરણાર્થીને યુકેમાં ૨૦૨૦ સુધીમાં તબક્કાવાર લેવાની જાહેરાત કરી છે. શરણાર્થી બાળકોને પ્રવેશ આ ઉપરાંતનો રહેશે. બીજી તરપ, શરણાર્થીઓને આશરો આપવાની મોટી જાહેરાતો કરનારા જર્મની સહિતના દેશોમાં જ તેનો વિરોધ થઈ રહ્યો છે.