સંઘની વિચારધારા અને અનામત નીતિથી સાવચેત રહેજોઃ દિગ્વિજય સિંહ 12/05/2016 5:01 am Khushali Dave મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ દિગ્વિજય સિંહે તાજેતરમાં વઢવાણમાં બે દિવસના રોકાણ દરમિયાન રાજકીય આગેવાનોની મુલાકાત લીધી હતી. સુરેન્દ્રનગર-વઢવાણ અને સાયલામાં તેઓ સ્થાનિક આગેવાનોને મળ્યા હતા. અહીં તેમણે વડા પ્રધાન પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતનો વિકાસ નરેન્દ્ર મોદી નહીં પણ ગુજરાતની મહેનત પ્રજાના કારણે થયો છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા અને અનામત નીતિથી ચેતીને ચાલવાની સલાહ પણ આપી હતી.
હેલિકોપ્ટર સોદાના વચેટિયા મિશેલ મુજબ તે સોનિયાને મળ્યો જ નથી 12/05/2016 3:53 am Khushali Dave ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી ચોપર ડીલમાં વચેટિયા તરીકેની ભૂમિકા ભજવનારા ક્રિસ્ટીન મિશેલ પર આરોપ લાગ્યા પછી પહેલીવાર આ મુદ્દે ૧૧મી મેએ કહ્યું છે કે, ડીલને લઈને કંઈ પણ ગેરકાનૂની કામ નથી થયું. જોકે, ડીલ અંગે કોઈ પણ જાતની લાંચ અપાઈ હોય તો એની મને જાણ નથી. મહત્ત્વપૂર્ણ બાબત છે કે, ૨૦૦૫થી ૨૦૧૩ સુધીનાં ૯ વર્ષનાં સમયગાળામાં મિશેલે ૧૮૦ વખત ભારતની મુલાકાત કરી હતી.
AV_SurveyAD 11/05/2016 9:20 am Ajay Kumar Dear Reader, We need your feedback! Please take our short survey.