મુંબઇના ભીંડીબજારને નવા રંગરૂપ આપી રહ્યું છે એક ધર્મગુરુનું વિઝન 06/05/2016 3:33 am Achyut Sanghavi મહારાષ્ટ્ર સરકારની વસાહત વિકાસ નીતિ અનુસાર દાઉદી વહોરા કોમ્યુનિટી મુખ્યત્વે શિયા મુસ્લિમો સહિત ૨૦,૦૦૦ લોકોના પુનર્વસન માટે મુંબઈના ભીંડીબજાર વિસ્તારની કાયાપલટ સાથે તેનો પુનર્વિકાસ કરવાનું આયોજન કરી રહી છે. રૂપિયા ૪,૦૦૦ કરોડના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ૨૫૦ બિલ્ડિંગ્સ, ૧,૨૫૦ દુકાન તોડી પાડવામાં આવશે અને તેના સ્થાને નવ ઉપવસાહતોમાં ૧૭ ટાવરનું બાંધકામ કરવામાં આવશે. આના પરિણામે, ભીંડીબજારના ૩,૨૦૦ મકાન ગગનને આંબશે અને ઉદ્યાનો, પાર્કિંગ તેમજ અન્ય સવલતો માટે વધુ ખુલ્લી જગ્યા મળી રહેશે. નિવાસીઓને ઓછામાં ઓછાં ૩૫૦ ચોરસ ફીટનો કાર્પેટ એરિયા (સૌથી નાના યુનિટમાં) મળી રહેશે. મુંબઈમાં સૌથી ભરચક વિસ્તારોમાં એક અને ૧૬.૫ એકરમાં ફેલાયેલું ભીંડીબજાર શહેરના વેપાર અને વાણિજ્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ પ્રોજેક્ટ માત્ર ભારતમાં જ નહિ, લોકતંત્ર ધરાવતા તમામ રાષ્ટ્રોમાં હાથ ધરાયેલો સૌથી મોટો પુનર્વિકાસ પ્રોજેક્ટ હોવાનો દાવો થઇ રહ્યો છે.
દાઉદ ઇબ્રાહિમે નરેન્દ્ર મોદીને મારવાની યોજના ઘડી હતી 07/05/2016 8:05 am Khushali Dave અમેરિકી જેલમાં બંધ આતંકવાદી ડેવિડ હેડલીએ તેની પર ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન વીડિયો કોન્ફરન્સ દ્વારા મુંબઈની અદાલતમાં એવું નિવેદન આપ્યું હતું કે, ઇશરત જહાં લશ્કર-એ-તૈયબાની આત્મઘાતી હુમલાખોર હતી અને તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા મોકલાઈ હતી. એ પછી હવે દેશની ટોચની તપાસ એજન્સીઓમાંની એક એનઆઇએ એવા અહેવાલ આપ્યા છે કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમે પણ નરેન્દ્ર મોદીને ખતમ કરવા માટે યોજના બનાવી હતી. નેશનલ એજન્સીએ બહાર પાડ્યું છે કે, દાઉદના નિશાન પર ભાજપ-સંઘના ટોચના નેતાઓ, ધાર્મિક આગેવાનો અને કેટલાંક ચર્ચ હતાં.
હૈદરાબાદ સામે ગુજરાત લાયન્સનો ધબડકો 07/05/2016 7:56 am Nilesh Parmar ભુવનેશ્વરના નેતૃત્વમાં બોલર્સે કરેલા શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે શિખર ધવનના અણનમ ૪૭ રનની મદદથી લીગ મેચમાં ગુજરાત લાયન્સને એક ઓવર બાકી રાખીને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. છઠ્ઠી મેના રોજ અહીં રમાયેલી મેચમાં લાયન્સના છ વિકેટે ૧૨૬ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર હૈદરાબાદે પાંચ વિકેટે ૧૨૯ રન કર્યા હતા.
પાકિસ્તાનના કોચ તરીકે સાઉથ આફ્રિકન મિકી આર્થર 07/05/2016 8:03 am Nilesh Parmar પાકિસ્તાનની ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે સાઉથ આફ્રિકાના મિકી આર્થરની નિમણૂંક કરવામાં આવી છે. મિકી આર્થર સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમના કોચ રહી ચૂક્યા છે અને હવે તેઓ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કોચ તરીકે વકાર યુનુસનું સ્થાન લેશે. પાકિસ્તાનના ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં કંગાળ પર્ફોમન્સ બાદ વકાર યુનુસે ચીફ કોચ તરીકે રાજીનામું આપી દીધું હતું.
અર્જુન મોડી રાત્રે મલાઈકાના ઘરેથી નીકળતો દેખાયો 07/05/2016 7:42 am Khushali Dave એક સમયે બોલિવૂડના પાવરફુલ કપલ કહેવાતા મલાઈકા અરોરા ખાન અને અરબાઝ ખાન આજકાલ છૂટાછેડાની ખબરોને લીધે ચર્ચામાં છે. તેમની વચ્ચે અંતર વધવાનું કારણ અર્જુન અને મલાઈકાની નજદીકીને પણ ગણવામાં આવે છે.