સિંહ ખસેડવાની યોજનામાં પરિવર્તનની માગ 18/05/2016 7:56 am Khushali Dave સિંહ ખસેડવાને લઇને બનાવાયેલી ૧૨ સભ્યોની સમિતિએ હવે ગુજરાતમાંથી એશિયાટિક સિંહોને ખસેડવાની યોજનામાં સુધારો કરવા વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાને અપીલ કરી છે. ગુજરાતમાંથી મધ્ય પ્રદેશના કુનોપાલપુર પાસે સિંહને ખસેડવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે ગુજરાત દ્વારા સિંહોને ખસેડવાની બાબતે સિંહોને પડનારી અગવડો અંગે કેટલીક ચિંતા વ્યક્ત કરાઈ હતી અને આ સમસ્યાને ધ્યાનમાં લઇને મધ્ય પ્રદેશ આગળ વધે તેવી માગ કરાઈ હતી.
કચ્છમાં ૧૪ કલાકમાં ધરતીકંપના ૬ આંચકા 18/05/2016 7:52 am Khushali Dave કચ્છમાં ૧૫મી મેથી છેલ્લા ૧૪ કલાકમાં ૬ આંચકા પૂર્વ કચ્છમાં અનુભવાયા હતા. આ અંગે ગાંધીનગર ખાતે આવેલી સિસ્મોલોજી કચેરીમાંથી મળતી વિગતો પ્રમાણે ૧૫મીએ રાત્રે ૧૨ વાગ્યે ૧.૨ તીવ્રતા સાથે રાપર પાસે અને ભચાઉ પાસે સવારે ૫.૩૦ વાગ્યે ૧.૪ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભચાઉમાં સવારે ૯.૫૮ વાગ્યે ૨.૨ની તીવ્રતા અને દુધઈ પાસે બપોરે ૨.૩૩ વાગ્યે ૧.૯ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.