એર ઈન્ડિયા દ્વારા ૧૫ ઓગસ્ટથી અમદાવાદ-લંડન નોન-સ્ટોપ ફ્લાઈટ 25/05/2016 7:15 am Achyut Sanghavi આગામી ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનથી ગુજરાત અને યુએસ વચ્ચે હવાઈ પ્રવાસ કરતા લોકોને લાંબી અને ટ્રાન્ઝીટ ફ્લાઈટ્સથી આઝાદી મળશે. એર ઈન્ડિયા દ્વારા ૧૫ ઓગસ્ટથી અમદાવાદથી લંડન હીથ્રો એરપોર્ટ સુધી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરાશે. આજ વિમાન ન્યુ યોર્ક મેટ્રોપોલિટન એરિયામાં આવેલા ન્યૂ જર્સીના નેવાર્ક એરપોર્ટ સુધી ઉડ્ડયન કરશે. ગુજરાતી સમુદાય લાંબા સમયથી લંડન સુધી ડાયરેક્ટ ફ્લાઈટ અને ઈસ્ટ કોસ્ટ સુધી ઝડપી કનેકશનની માગણી કરી રહેલ છે.
Government to make customs clearance easy for NRIs 25/05/2016 6:02 am Mitul Paniker The government is in the works of a framework that will most likely ensure trouble-free customs clearances for non-resident Indians who are bothered by customs for carrying 'too much' gold.
Cairn India CEO Mayank Ashar quits 25/05/2016 6:01 am Mitul Paniker Managing director and CEO of Cairn India, Mayank Ashar has quit the firm Cairn India, citing "personal reasons".
HSBC to cut down on branches in India 25/05/2016 6:04 am Mitul Paniker British bank HSBC has decided to cut its branch network in India from 50 to 26, after its decision to shut down its private banking business targeted at the rich.
ઈયુ રેફરન્ડમનું ભાવિ ડાયસ્પોરા હસ્તક રહેશે? 25/05/2016 7:15 am Achyut Sanghavi જૂન ૨૩એ લેવાનારા ઇયુ રેફન્ડમને હવે એક જ મહિનો બાકી રહ્યો છે ત્યારે બ્રિટિશ ઇલેક્શન સર્વે દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટમાં ભારતીય મૂળના મતદારો મુખ્યત્વે બ્રિટન યુરોપિયન યુનિયનમાં જ રહેવાની તરફેણ કરતાં હોવાનું બહાર આવ્યું છે. જોકે હજુ નોંધપાત્ર હિસ્સો આ મુદ્દો અનિર્ણાયક હોવાથી કાંટેની ટક્કર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વડાપ્રધાન ડેવિડ કેમરનના ઇન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન અને બ્રિટિશ એશિયન સંસદ પ્રિતી પટેલ, ઇન્ફોસિસના વડા નારાયણમૂર્તિના જમાઈ રિશી સુનાક બ્રેકઝિટની તરફેણમાં બહાર આવ્યા છે જ્યારે ‘રીમેઈન’ કેમ્પમાં ટોરી સાંસદ આલોક શર્મા અને લેબર પાર્ટીના સાંસદો સીમા મલ્હોત્રા અને કીથ વાઝ નેતાગીરી સંભાળી રહ્યાં છે.
પરેશ-ભાસ્કર અપહરણ કેસનો ૫૦મો આરોપી ૧૬ વર્ષે ઝડપાયો 25/05/2016 9:15 am Khushali Dave ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં ૧૬ વર્ષ બાદ ગુજરાત એટીએસએ દિલ્હીથી ૫૦મો આરોપી શૈલેન્દ્રસિંહ ઝડપી લીધો છે. શૈલેન્દ્રસિંહ અત્તરસિંહ જાટ કુખ્યાત આમિર રઝા ગેંગનો સાગરીત હતો. જૈશ-એ-મહોમદ માટે ભંડોળ એકઠું કરતી આ ગેંગે વર્ષ ૨૦૦૦માં રાજકોટના બે સોની ભાસ્કર અને પરેશનું અપહરણ કરીને રૂ. ૨૦ કરોડની ખંડણી માગી હતી.
ઈલ માછલીએ ૮૬૦ વોલ્ટના કરંટથી મગરમચ્છને મારી નાખ્યો 25/05/2016 8:56 am Khushali Dave સમુદ્રી માછલી જયારે ભયમાં હોય ત્યારે પોતાના શરીરમાંથી કરંટ છોડી શકે છે. હમણાં એક ઇલ માછલીએ ૮૬૦ વોલ્ટનો ઝાટકો આપીને મગરમચ્છને મારી નાંખ્યો હોવાની ઘટના બની છે. આથી જ તો શરીરમાંથી કરંટ છોડવાની આવડત ધરાવતી ઇલ માછલીને ઇલેકટ્રીકલ ઇલ તરીકે ઓળખવામાં આવે છે. આ ૮૬૦ વોલ્ટનો કરંટ લઇને ફરતી ઇલથી મોટા મગરમચ્છો અને મોટા દરિયાઇ જીવો દૂર રહે છે.