આફ્રિકા દિનની ઉજવણીમાં આફ્રિકી રાજદૂતો હાજરી નહીં આપે 26/05/2016 3:44 am Khushali Dave દિલ્હીમાં ગયા અઠવાડિયે એક કોંગો નાગરિકની હત્યાના મુદ્દાએ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ લીધું છે. સામાન્ય મુદ્દે થયેલી હત્યા બાદ આફ્રિકી દેશોના રાજદૂતોએ આ ઘટના સામે સખત વિરોધ કર્યો છે. આફ્રિકાના દેશોએ માગ કરી છે કે આવા જાતિવાદ અને આફ્રો ફોબિયા સામે ભારત દ્વારા કડક પગલાં લેવામાં આવે. હત્યાના વિરોધરૂપે તમામ આફ્રિકી દેશોના રાજદૂતોએ જણાવ્યું કે, તેઓ ૨૬મીએ ભારતમાં ઊજવવામાં આવનારા આફ્રિકા દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવશે નહીં.
વિદેશી ભારતીયો દ્વારા મોકલાતા નાણાં ૨૭ ટકા ઘટીને ૪૮ અબજ ડોલર 26/05/2016 3:31 am Khushali Dave નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં વિદેશમાં વસતા ભારતીયો દ્વારા ભારતમાં મોકલાતી રકમ ૨૭ ટકા ઘટીને ૪૮ અબજ ડોલર રહી હતી. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ઓઇલ ક્ષેત્રમાં ચાલી રહેલી મંદી છે. આ મંદીને કારણે ખાડી દેશોમાં કાર્યરત અનેક ભારતીયોને પોતાની નોકરી ગુમાવવી પડી છે અને તે પૈકીના અનેકને ભારત પરત આવવાનો વારો આવ્યો છે.
કુંડમાં ડૂબકી મારીને 'પાપમુક્તિ'નું સર્ટિફિકેટ લોઃ રાજસ્થાનના મંદિરની ઓફર 26/05/2016 4:59 am Khushali Dave હિંદુ શ્રદ્ધાળુઓ એવી આસ્થા ધરાવે છે કે પવિત્ર નદીઓ-કુંડમાં સ્નાન કરવાથી પાપમુક્ત થઈ જવાય છે, જોકે સામાન્ય રીતે આ માન્યતા મનોવૈજ્ઞાનિક રીતે દિલાસો આપવા માટે પૂરતી છે, તેનાથી પાપ ધોવાયાં કે નહીં તેનું કોઈ નક્કર પ્રમાણ હોતું નથી, જોકે રાજસ્થાનનાં એક શિવમંદિર થોડું 'હટકે' છે, અહીં શ્રદ્ધાળુઓને 'પાપમુક્ત' થયાનું રીતસરનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. ગોમતેશ્વર મહાદેવ પાપમોચન તીર્થધામ નામનું આ શિવમંદિર રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં છે, અહીં હજારો શ્રદ્ધાળુઓ આવે છે.