Advanced search


નાના-મોટા અનેક રજવાડાઅોનો ભારતમાં વિલય કરીને ભારતને વિરાટ અને મજબૂત રાષ્ટ્ર બનાવનાર અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલને નિર્વાણ દિને સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી દ્વારા શ્રી જલારામ જ્યોત મંદિર, સડબરી ખાતે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સરદાર પ્રેમીઅોએ ભજન-ભોજન અને અગ્રણીઅોના પ્રવચનોનો લાભ લીધો હતો.

sagar-irs-scam

sagar-irs-scam

aia

aia

IMG_0537

IMG_0537

IMG_0065

IMG_0065

20TURKEY-WEB5-master1050

20TURKEY-WEB5-master1050

Jadeja copy

Jadeja copy

મૃત્યુને વરેલા પુત્ર આરીના અં

આપણા શાસ્ત્રો અને ધર્મમાં જણાવ્યું છે કે આપણો દેહ નશ્વર છે અને આત્મા અમર છે, ત્યારે આપણો આ નશ્વર દેહ કે તેના અંગો આપણા મૃત્યુ બાદ જો બીજાના કામમાં આવતા હોય તો તેમાં ખોટું શું છે? પોતાના હિન્દુ ધર્મ અને આસ્થા તેમજ ખરેખર તો સાચા માનવ ધર્મનું પાલન કરીને ક્રોયડનના જય પટેલ અને તેમના પત્ની સીના પટેલ અકસ્માતે મૃત્યુ પામેલા માત્ર સાડા ત્રણ વર્ષના દિકરા આરીના વિવિધ અંગોનું દાન કરીને ૭ બાળકો અને તેમના પરિવારજનોના જીવનમાં ઉમંગ અને ઉલ્લાસ લાવ્યા છે. આટલું જ નહિં તેમણે પોતાના દિકરા આરીની યાદ અમર થઇ જાય તે આશયે ટૂટીંગની સેન્ટ જ્યોર્જીસ હોસ્પિટલના પીડીયાટ્રીક ઇન્ટેન્સીવ કેર યુનિટ અને ગુજરાતમાં ખેડામાં આવેલી માન્યા દેવી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ માટે £૩૩,૦૦૦ એકત્ર કર્યા છે. જય અને સીનાએ પોતાના એકના એક દિકરાના મૃત્યુ પર રડવા કરતા બીજા અન્ય બાળકોને મદદરૂપ થવા માટે કઠોર પરિસ્થિતીમાં પણ હસતા મોઢે જે કામ કર્યું છે તે ખરેખર કાબિલેતારીફ છે, આ સદ્કાર્યની જેટલી સરાહના કરીએ તેટલી અોછી છે.