નોટબંધીનો નિર્ણય રાષ્ટ્રહિતમાં, જનહિતમાંઃ ડીસામાં નરેન્દ્ર મોદી 14/12/2016 5:19 am Nilesh Parmar રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ પર પ્રતિબંધ લાદવાની બહુચર્ચિત જાહેરાત બાદ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ ડિસેમ્બરે ડીસામાં બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સનું રિમોટ કંટ્રોલનું બટન દાબી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ મેદનીને સંબોધતા તેમણે વિરોધ પક્ષ ટીકાની ઝડી વરસાવી હતી અને નોટબંધીના નિર્ણયને દેશહિત માટેનો હિંમતભર્યો કપરો નિર્ણય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત સરકારનો આ નિર્ણય માત્ર ને માત્ર રાષ્ટ્રહિત અને દેશના સામાન્ય નાગરિકોના હિતને નજરમાં રાખીને કરાયો છે. ૫૦ દિવસ બાદ સ્થિતિ ધીમે ધીમે સુધરી જશે. વિરોધ પક્ષોએ સંસદગૃહમાં કાર્યવાહી ખોરવી નાખી છે તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, સંસદમાં વિરોધીઓ મને બોલવા દેતા નથી તેથી હું જનસભામાં વાસ્તવિકતા રજુ કરી રહ્યો છું. વિપક્ષો હોબાળો કરી સંસદની ચર્ચા કરતા નથી, આ બાબતની ખુદ રાષ્ટ્રપતિએ પણ નોંધ લઈ ટીકા કરી છે.
ગુજરાતી કથા-યાત્રાના ૧૫૦ વર્ષ 14/12/2016 6:17 am Nilesh Parmar આજકાલ ગુજરાતી સાહિત્ય ફેસ્ટિવલ અમદાવાદમાં ચાલે છે, કેટલાક વિષય અને વક્તાઓને બાદ કરતા કોઈ ખાસ પ્રભાવ દેખાતો નથી, ખરેખર તો જૂનાપુરાણા ગણાવવાના ડરને બદલે સમગ્ર સાહિત્યનું રસપ્રદ મૂલ્યાંકન નવી અને વર્તમાન પેઢીને માટે સર્જાતા સાહિત્યનો માહોલ ઉભો કરી શકે. સપાટી પરની ચર્ચા તેવું કરી શકે નહીં.
Diabetes: The Major Health Problem in the South Asian Community 14/12/2016 6:33 am Anand Pillai South Asians are four times more likely more likely to get diabetes than the general population. Over the age of 40 years, 1 in 5 of South Asians have diabetes.
કોહલીની ‘વિરાટ’ સિદ્ધિઃ એક વર્ષમાં ત્રણ 'ડબલ' સદી 14/12/2016 6:03 am Mukesh Patel ટીમ ઇંડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ બેટ્સમેન તરીકેની કારકિર્દીના સુવર્ણ યુગને આગળ ધપાવતા ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં વિક્રમજનક ૨૩૫ રન ફટકાર્યા હતા. આ સાથે તેણે એક જ વર્ષમાં ત્રણ બેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવનારા ભારતના પ્રથમ બેટ્સમેન અને પ્રથમ કેપ્ટન તરીકે રેકોર્ડ બુકમાં ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે.
‘રઇસ’નો રસ્તો ખુલ્લો થયોઃ એમએનએસ વિરોધ નહીં કરે 14/12/2016 6:30 am Mukesh Patel શાહરુખ ખાનની ફિલ્મ ‘રઇસ’નો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વિરોધ નહીં કરવાનો નિર્ણય કર્યા પછી હવે ૨૫ જાન્યુઆરીએ કોઈ પણ સમસ્યા વગર આ ફિલ્મ રિલીઝ થશે. રવિવારે સાંજે શાહરુખ અને રાજ ઠાકરે વચ્ચે વાતચીત થઈ હતી. આ મિટિંગ પછી રાજ ઠાકરેએ એવું કહ્યું હતું કે, શાહરુખ ખાન ખાસ તો એવું કહેવા માટે આવ્યો હતો કે પાકિસ્તાની હિરોઈન માહિરા ખાન ભારતમાં ‘રઈસ’ના પ્રમોશનમાં ભાગ લેશે નહીં.