રાજ બેંકમાં નોટબંધી પછી ૪૫૦૦ નવા ખાતા અને રૂ. ૮૭૧ કરોડ જમા! 11/01/2017 6:12 am Khushali Dave આવકવેરા વિભાગે રાજકોટની ધી કો ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ (રાજ બેંક)ના ટ્રાન્ઝેક્શનોમાં જંગી કથિત વિસંગતતાઓ ઝડપી છે. ઈડી પ્રમાણે, નોટબંધી બાદ રાજબેંકમાં રૂ. ૮૭૧ કરોડ જમા થયા હતા. ૪,૫૦૦ નવા ખાતાં ખૂલ્યા અને ૬૦થી વધુ ખાતાં એક મોબાઇલ નંબર ધરાવતા હોવાનું માલૂમ પડ્યું છે.
વિભાપર ગામના રક્ષક ખુદ ગ્રામજનો 11/01/2017 6:17 am Khushali Dave નગરસીમમાં પાંચ હજારની વસ્તી ધરાવતા વિભાપર ગામમાં વસ્તા લોકોને વર્ષો પહેલાં ઘણા ખરાબ અનુભવો થતાં ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં એક ઠરાવ પસાર કર્યો હતો. એ ઠરાવ મુજબ પોતાના ગામની રક્ષા ખુદ ગ્રામજનો દ્વારા કરાશે તેવું આયોજન હતું. તે સમયથી લઇને દરરોજ ગામના ૪૦ પુરુષો રાત્રે જાગરણ કરીને પોતાના ગામની રક્ષા કરે છે.
વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટઃ ૨૫,૫૭૮ સમજૂતી કરાર 13/01/2017 5:15 am Nilesh Parmar ગાંધીનગરના મહાત્મા મંદીરમાં યોજાયેલી ૮મી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં વિક્રમજનક સંખ્યામાં ૨૫,૫૭૮ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ (એમઓયુ - સમજૂતી કરાર) થયા છે. જે ગત વાઇબ્રન્ટ સમિટ કરતાં ૨૫૦૦ વધુ છે. અલબત્ત, આ વખતે એમઓયુ થકી ગુજરાતમાં આવનારા મૂડીરોકાણનો આંકડો જાહેર કરાયો નથી. રિલાયન્સ ડિફેન્સ સહિતની સાત કંપનીઓએ ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરમાં સરકાર સાથે રૂ. ૭૦૦૦ કરોડના એમઓયુ કર્યા છે. વાઇબ્રન્ટ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાત ડિફેન્સ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રનું હબ બની શકે છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતને ૨૦ લાયસન્સ અપાયા છે. ફાઈટર પ્લેન, હેલિકોપ્ટરના ઉત્પાદનમાં ગુજરાતને સારી તક રહેશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, વાઈબ્રન્ટથી ગુજરાતના બ્રાન્ડિંગ સાથે અન્ય દેશો સાથે બોન્ડીંગ પણ થયું છે.
મકરસંક્રાંતિઃ સૂર્યઉપાસના સાથે મુક્તિ પ્રદાન કરતું મહાપર્વ 11/01/2017 5:42 am Mukesh Patel ભારતમાં અનેક ધર્મો, અનેક તહેવારો અને અનેક ભાષાઓ છે. આપણા સહુના જીવનમાં તહેવારોનું મહત્ત્વ ખૂબ રહ્યું છે અને તહેવારોમાં પણ ખાસ કરીને સંક્રાંતિ તહેવાર ખૂબ પુણ્યદાયક છે તેવું શાસ્ત્રોનું વિધાન છે. સમગ્ર ભારતવર્ષમાં મકરસંક્રાતિ પર્વ અનેકવિધ રીતે ઊજવાય છે.
PMO seeks report from HM over army food quality 12/01/2017 5:57 am Mitul Paniker Days after a video shared on the internet by BSF jawan Tej Bahadur Yadav alleging abominable quality of food went viral on the internet, the Prime Minister's Office has sought a report from the Home Ministry. The department had ordered a probe into the claims, however BSF IG DK Upadhyaya asserted that Yadav has earlier been accused of insubordination and intoxication and was facing a court martial. The Union home ministry even directed the BSF to file a complete report on the allegations about substandard food. BSF Director General KK Sharma met Union home secretary Rajiv Mehrishi and submitted a second interim report on the allegations made by the soldier.