Advanced search


India will celebrate her 68th Republic Day on January 26, 2017. It was on this day, in the year, 1950, the Constitution of India came into force and our country was proclaimed as a Sovereign, Democratic Republic. The Constitution is the Supreme document that governs our great country. Republic Day represents the true spirit of Independent India and marks the patriotic fervor of all Indians across the country who celebrates this event with great enthusiasm every year. The Constitution was adopted by the Indian Constituent Assembly on November 26, 1949 and came into effect on January 26, 1950.

Please continue “Star sign Horoscope” in its current format on page 30 of “Asian Voice”. Readers have a right to put forth suggestions. Their argument may be valid too. Readers has varying mind set, therefore Editor has the right to please readers, at the same time follow policy set by the bosses. Choice to print horoscope may not be dictated by few high IQ, science minded, rationalists. Choice of open minded folks who buy the paper must be honored too. Blaming “Asian Voice” for encouraging blind faith is baseless, as it is matter of circumstances of the reader. Some use the predictions as a guide, some may use it as command.

રમેશ સવારે ઘરેથી ઓફિસ જવા નીકળ્યો તો બિલાડી આડી ઉતરી...
જોતાં જ રમેશ ગભરાઈને ઊભો રહી ગયો... આ જોઈને બિલાડી ઊભી રહી ગઇ અને હસવા લાગી અને બોલી, ‘ભાઈ તું તો પરણેલો છે. તારું હવે આનાથી વધુ કંઈ ખરાબ ના થઈ શકે. તું તારે જા...’

એક્યુટ અને ક્રોનિક પેઇન વચ્ચેનો તફાવત

ઘણી વખત એવું બને છે કે શરીરમાં ટૂંકા સમયનું અને લાંબા સમયનું કળતર રહે છે. ક્યારેક આ કળતર અસહ્ય દુખાવાનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવાની, સોજો થવાની, શ્વાસ લેવાની તકલીફની કે અનઇઝીનેસની ફરિયાદ સાથે આપણે ડોક્ટર પાસે પહોંચીએ ત્યારે સૌથી પહેલાં તેઓ પૂછે છે કે આ લક્ષણો ક્યારથી દેખાવાનું શરૂ થયું? લક્ષણોની તીવ્રતા અને એની શરૂઆત ક્યારથી થઈ એ જે તે રોગ કે સ્થિતિનું નિદાન કરવા માટે ખૂબ જ મહત્ત્વનું હોય છે. જેમ કે જો તમને ઘૂંટણમાં દુખાવો થાય છે તો એ કેવી રીતે શરૂ થયો એ દુખાવાનું કારણ શોધવા-સમજવામાં ઘણો જ અગત્યનો ફાળો આપે છે.

આંખો મટકું શા માટે મારે છે, જાણો છો?

તમારી આંખ શા માટે વારંવાર મટકું મારે છે તેનું કારણ જાણો છો? તમારી આંખ જ્યારે મટકું મારે છે ત્યારે મગજ અન્ય શબ્દોને શોધી રહ્યું હોય છે. બે શબ્દો વચ્ચેના ગાળામાં આંખ મટકું મારીને શબ્દોને શોધવાનો પ્રયાસ કરતું હોય છે. સંશોધકોએ આંખનું મટકું મારવાના ન્યુરોલોજીકલ કારણો શોધ્યાં છે. આંખ મટકું ન મારે તો મગજ યોગ્ય શબ્દો શોધી શકતું નથી તેથી તે વ્યક્તિના ચહેરા પર ફોકસ કરે છે. મગજ અને આંખ પરસ્પર શબ્દો શોધવા સ્પર્ધા કરે છે અને મેન્ટલ રિસોર્સ શોધવા પ્રયાસ કરે છે. તેથી શબ્દો શોધવા આંખ મટકું મારે છે.

સુરક્ષાકર્મીઓને યોગ શીખવતી ૧૪ વર્ષની તરુણી પાયલ

રાયપુરઃ રાયપુરને અડીને આવેલા ટેમરી ગામમાં પાયલ રહે છે. તેની ઉંમર ૧૪ વર્ષ છે અને તે ધોરણ ૯માં ભણે છે. પાયલ માત્ર ૧૪ વર્ષની છે, પણ ૩૦૦ હોમગાર્ડ્ઝની તે ટીચર છે. પાયલ છેલ્લા ચાર મહિનાથી હોમગાર્ડ્ઝને યોગ શીખવાડી રહી છે. તે દર મહિને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાંથી આવેલા હોમગાર્ડ્ઝના જવાનોને એક-એક મહિના યોગનો અભ્યાસ કરાવે છે.

રજાઓનું બારીક પ્લાનિંગ મજા બગાડે છે

લોકો રજાઓ પર જતાં હોય કે વેકેશન માણવા જતાં હોય ત્યારે તમામ બાબતોના બારિક પ્લાનિંગ પર આધાર રાખતા હોય છે. સંશોધકો જણાવે છે કે રજાઓ માણવા સમયે તમામ બાબતોનું આયોજન વધુ પડતું જોખમી અને તણાવપૂર્વક હોય છે. સંશોધકો માને છે કે જ્યારે આપણે રજાઓનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ ત્યારે બધું જ નક્કી કર્યા પ્રમાણે જ કરવામાં માનીએ છીએ. આ સમયે જો કોઈ કામ આયોજન પ્રમાણે ન થાય ત્યારે તણાવ અને દબાણ વધારે અનુભવાય છે.

વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૭ઃ ૨૫,૫૭૮ સમજૂતી કરાર

પાટનગરના મહાત્મા મંદીરમાં યોજાયેલી ૮મી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં વિક્રમજનક સંખ્યામાં ૨૫,૫૭૮ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ (એમઓયુ - સમજૂતી કરાર) થયા છે. જે ગત વાઇબ્રન્ટ સમિટ કરતાં ૨૫૦૦ વધુ છે. અલબત્ત, આ વખતે એમઓયુ થકી ગુજરાતમાં આવનારા મૂડીરોકાણનો આંકડો જાહેર કરાયો નથી. ગુજરાત સરકારની ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસી અંતર્ગત રિલાયન્સ ડિફેન્સ સહિતની સાત કંપનીએ ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરમાં સરકાર સાથે રૂ. ૭૦૦૦ કરોડના એમઓયુ કર્યા છે. 

હાર્ટ એટેક ન આવ્યો હોય તો બાયપ

દસકા પહેલા કોઇ વ્યક્તિને હાર્ટ એટેક આવતો ત્યારે તેને તાત્કાલિક મેડિકલ હેલ્પ અપાતી હતી. તબિયત સ્થિર થઈ ગયા બાદ તે વ્યક્તિની એન્જિયોગ્રાફી થતી અને પછી નિર્ણય લેવાતો કે તેમને એન્જિયોપ્લાસ્ટીની જરૂર છે કે બાયપાસ સર્જરીની. જોકે હવે સમય બદલાયો છે. આજે અમુક ચિહનો દ્વારા કે રેગ્યુલર ચેકઅપમાં ખબર પડે છે કે વ્યક્તિના શરીરની હાર્ટ વેઇનમાં બ્લોકેજ વધુ છે ત્યારે ડોક્ટર્સ તેમને તાત્કાલિક એન્જિયોગ્રાફીનું સૂચન આપે છે. જો બ્લોકેજ વધુ જણાય તો એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસનું સૂચન કરાય છે.