નામ મનમોહન, ચહેરો મોદી જેવોઃ વાઈબ્રન્ટમાં ૫૦૦ કરોડનો કરાર 13/01/2017 6:22 am Nilesh Parmar નામ મનમોહન, પણ ચહેરો અદ્દલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવો ધરાવતા દિલ્હીના ઉદ્યોગપતિ મનમોહન કે. જૈને વાઈબ્રન્ટ સમિટમાં રૂ. ૫૦૦ કરોડનો સમજૂતી કરાર કર્યો છે. મહાત્મા મંદિરમાં મોદીના હમશકલ જૈનને કોલેજીયન યુવાનો વડા પ્રધાન મોદીના ભાઈ સમજીને ‘સેલ્ફી’ લેવા પડાપડી કરતા હોવાથી દિલ્હીના આ ઉદ્યોગપતિ સેમિનાર હોલની બહાર ઉભી કરેલી ફોફી શોપમાં જઇને બેસી રહ્યા હતા.
Punjab CM will be a local MLA: Kejriwal 18/01/2017 6:30 am Mitul Paniker Putting an end to all speculations, Arvind Kejriwal said that he would not be running for the top office in Punjab.
વાઈબ્રન્ટ ગુજરાત અને નોબેલવિજેતા વેંકીની કડવી દવા 16/01/2017 7:44 am Nilesh Parmar વડોદરામાં ભણેલા વૈજ્ઞાનિક પ્રાચીન વિજ્ઞાનને ટાઢા પો’રનાં ગપ્પાં માને છે
માત્ર NRIને જૂન સુધી નોટ્સ બદલવાની છૂટઃ PIO કે OCI ભારે મુશ્કેલીમાં મૂકાયા 18/01/2017 5:57 am Achyut Sanghavi વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિમોનિટાઈઝેશન પગલાથી માત્ર ભારતવાસીઓ જ નહિ, બિનનિવાસી ભારતીયો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. ભારતની મુલાકાત લીધા પછી પ્રતિબંધિત ચલણી નોટો ધરાવતા પર્સન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (PIO) અને ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા (OCI)ને નોટોના એક્સચેન્જ બાબતે ઘોર નિરાશા સાંપડી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે ચલણમાંથી રદ કરવામાં આવેલી રૂ.૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ્સ જમા કરાવવા બિનનિવાસી ભારતીયોને જૂન ૨૦૧૭ સુધી ગ્રેસ પિરિયડ અપાયો છે તે માત્ર ભારતીય નાગરિકોને જ મળવાપાત્ર છે.
બ્રેક્ઝિટથી યુકે કરતાં ઈયુને વધુ ગુમાવવું પડશેઃ માર્ક કાર્ની 18/01/2017 5:57 am Achyut Sanghavi બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ સાંસદો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રેક્ઝિટને લીધે યુકે કરતાં ઈયુને વધારે ગુમાવવાનું થશે અને ઈયુની આર્થિક સ્થિરતાને વધુ જોખમ છે. બ્રિટનને તેના નાણાકીય સેવા ક્ષેત્રની મજબૂતીને લીધે ઓછું જોખમ છે. યુકેનું અર્થતંત્ર તમામ નિરાશાજનક અંદાજોને વટાવીને અપેક્ષા કરતાં વધુ ઝડપે વિકાસ કરશે. ઈયુ રેફરન્ડમ અગાઉ લીવ વોટના પરિણામો વિશે અપાયેલી સંખ્યાબંધ ગંભીર ચેતવણીઓેને લીધે બ્રેક્ઝિટ અર્થતંત્ર માટે સ્થાનિક ધોરણે સૌથી મોટું જોખમ હવે રહ્યું નથી.