પુરુષાર્થ ક્યારેય એળે જતો નથી 20/03/2017 8:09 am Nilesh Parmar ‘અરે, ટેક્સી લઈને આવવાની ક્યાં જરૂર હતી? આપણે બસમાં પણ જઈ શકતા હતા.’ રેલવે સ્ટેશને મુંબઈથી અમદાવાદ આવેલા જગતે ઉત્પલને કહ્યું. ‘તું બેસ તો ખરો, તને મારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવવાની પ્રેરણા આપનારનો પરિચય કરાવું. આ છે દિનેશ, મારો મિત્ર અને આ ટેક્સીનો માલિક.’ ઉત્પલે આમ કહી ટેક્સી ડ્રાઈવરનો પરિચય કરાવ્યો.
‘એ પીસ બિલ્ડીંગ કોમનવેલ્થ’માં ભારતનું મહત્ત્વ વધ્યું 20/03/2017 10:19 am Achyut Sanghavi બ્રિટન પર બ્રેક્ઝિટની ચિંતા વર્તાઈ રહી છે અને બિઝનેસ કરવાની સરળતા અને મજબૂત નિકાસ અર્થતંત્રની રચના પર ભાર મૂકીને બ્રિટન કોમનવેલ્થ દેશો સાથેના તેના સંબંધોના ફેરમૂલ્યાંકનનો પ્રયાસ કરી રહ્યું છે. મિનિસ્ટર ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ લીયામ ફોક્સે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં સૌથી ઝડપે વધતાં આયાત અર્થતંત્રોમાં ભારત પણ મહત્ત્વનો દેશ બની રહેશે.
‘એક્ટ ફાસ્ટ’ ફિલ્મમાં જશવંત નાકરે સ્ટ્રોકમાંથી બચવાની કથા વર્ણવી 20/03/2017 10:19 am Achyut Sanghavi પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ‘Act FAST’ રાષ્ટ્રીય જાગૃતિ અભિયાનના ભાગરુપે શ્રેણીબદ્ધ ટુંકી ફિલ્મો તૈયાર કરવામાં આવી છે. ઈલિંગના જશવંત નાકરે તેઓ સ્ટ્રોકમાંથી કેવી રીતે બચી શક્યા તેનું વર્ણન એમર્ડેલના અભિનેતા ભાસ્કર પટેલની સાથે કર્યું છે. ડો. શ્રીમાન એન્ડોલે ચહેરો, હાથ અને સ્પીચ સંબંધિત સ્ટ્રોકની ત્રણ મુખ્ય નિશાની જણાવી છે. જો આ ત્રણ જગ્યાએ કોઈ વિચિત્રતા જોવા મળે તો ઝડપથી પગલું ભરી 999 ને કોલ કરી તે વ્યક્તિનું જીવન બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકાય તેવો સંદેશ આ ફિલ્મો આપે છે.
સ્કોટિશ બહુમતી યુકે સાથે રહેવા માગે છે 20/03/2017 10:30 am Achyut Sanghavi સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સ્કોટિશ આઝાદી માટે બીજો રેફરન્ડમ યોજવાનો સંકેત આપ્યો હતો પરંતુ, ચાર પોલ્સમાં બહુમતી સ્કોટિશ લોકો યુકે સાથે જોડાઈ રહેવા માગતા હોવાનું બહાર આવતા તેમણે પીછેહઠ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્કોટલેન્ડ સંપૂર્ણપણે ઈયુમાં નહિ રહે તે સ્વીકારવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી. બે તૃતીઆંશ સ્કોટિશ ઈયુ બ્લોકની સત્તા ઘટાડવા માગે છે અથવા યુકે તેમાંથી બહાર નીકળે તેમ ઈચ્છે છે. વડા પ્રધાન થેરેસા મેએ ચેતવણી આપી હતી કે સ્કોટલેન્ડ આઝાદીની તરફેણમાં મત આપશે તો પણ ઈયુને છોડી દેશે.
BAPS દ્વારા ચિગવેલમાં મંદિરનિર્માણનો નવો પ્રોજેક્ટ 20/03/2017 10:30 am Achyut Sanghavi પ્રમુખ સ્વામી મહારાજે ૨૦ ઓગસ્ટ, ૧૯૯૫ના દિવસે નોર્થવેસ્ટ લંડનમાં નીસડન ખાતે સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે શેરીઓમાં નાચતાગાતાં અનુયાયીઓ સાથે હજારો લોકોની મેદનીએ હાથી પર અંબાડીમાં બેઠેલા પ્રમુખ સ્વામી મહારાજશ્રીને વધાવી લીધા હતા. આજે નીસડનની ક્ષિતિજ પર સ્વામીનારાયણ મંદિર ભવ્ય લેન્ડમાર્ક બન્યું છે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) કોમ્યુનિટી દ્વારા ઈસ્ટ લંડનમાં ચિગવેલ ખાતે મંદિરનિર્માણનો આગામી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે.