દાદીમાનું વૈદુંઃ અનિદ્રા - ઊંઘ ન આવવી

દાદીમાનું વૈદુંઃ અનિદ્રા - ઊંઘ ન આવ

અનિદ્રા - ઊંઘ ન આવવાની સમસ્યાના ઘરગથ્થુ ઉપચારો

• સૂતાં પહેલાં હાથપગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે. • ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે. • કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે. • પીપરીમૂળના ચૂ્ર્ણની ફાકી લેવાથી અને પગે દિવેલ ઘસવાથી સારી ઊંઘ આવે છે. • ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંધ આવે છે. • કુમળાં વેંગણને શેકી, મધમાં મેળવીને સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે. • વરિયાળી, દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી ઊંઘ સારી આવે છે. • જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરીને સૂતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે. • બેથી ત્રણ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા તો સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સરસ આવે છે. • ખૂબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઊડી જાય ત્યારે ગંઠોડાનું બે ગ્રામ ચૂર્ણ ગોળ અને ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.

દાદીમાનું વૈદુંઃ અનિદ્રા - ઊંઘ ન આવ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.