દાદીમાનું વૈદુંઃ અશક્તિ - નબળાઇ

દાદીમાનું વૈદુંઃ અશક્તિ - નબળા...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો અશક્તિ - નબળાઇની સમસ્યા વિશે.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો અશક્તિ - નબળાઇની સમસ્યા વિશે.

• એક સૂકું અંજીર અને પાંચ-દસ બદામ એક ચમચી સાકર સાથે દૂધમાં ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધિ થઈ, ગરમી મટી, શરીરમાં શક્તિ વધે છે.
• દૂધમાં બદામ, પિસ્તાં, એલચી, કેસર અને ખાંડ નાંખીને ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે.
• ચણાના લોટનો મગસ, મોહનથાળ અથવા મેસૂર બનાવીને રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ વધે છે.
• ફણગાવેલા ચણા રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે. કિંમતી દવાઓ કરતાં આ ઉપાય સસ્તો અને સચોટ છે, પણ ચણા માફકસર જ ખાવા.
• ઘીમાં શેકેલા કાંદા સાથે શીરો ખાવાથી માંદગીમાંથી ઊઠ્યા પછી આવેલી અશક્તિ દૂર થઈને જલદી શક્તિ આવે છે.
• મેથીનાં કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઈને શક્તિ આવે છે.
• સુકી ખારેકનું ૨૦૦ ગ્રામ ચૂર્ણ બનાવી, તેમાં ૨૫ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખીને બાટલી ભરી લેવી. આ ચૂર્ણમાંથી ૫થી ૧૦ ગ્રામ ચૂર્ણ ૨૦૦ ગ્રામ દૂધમાં ઉકાળીને તેમાં જરૂર જેટલી ખાંડ નાખી રોજ સવારે પીવાથી શક્તિ આવે છે.

દાદીમાનું વૈદુંઃ અશક્તિ - નબળા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.