દાદીમાનું વૈદુંઃ આંખની પીડા

દાદીમાનું વૈદુંઃ આંખની પીડા...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો આંખની પીડા અંગે.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો આંખની પીડા અંગે.

• બકરીના દૂધમાં લવિંગ શેકીને આંખોમાં આંજવાથી રતાંધળાપણું મટે છે.

• સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધળાપણું મટે છે. 

• કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાખવાથી રતાંધળાપણું મટે છે.

• પાકાં ટામેટાંનો રસ સવાર-સાંજ પીવાથી રતાંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે.

• આંખમાં ચીપડા બાઝતા હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાખવાથી આરામ થાય છે.

• સરગવાના પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગો મટે છે અને આંખનું તેજ વધે છે.

• આંખમાં ઠંડા પાણીની છાલક દરરોજ સવાર-સાંજ મારવાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખનું તેજ વધે છે.

• કોથમીરનો રસ કાઢી, ચોખ્ખા કપડાથી ગાળી, તેનાં બબ્બે ટીપાં આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે. ખીલ, ફૂલું, છારી વગેરે મટે છે.

દાદીમાનું વૈદુંઃ આંખની પીડા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.