દાદીમાનું વૈદુંઃ ઊલટી

દાદીમાનું વૈદુંઃ ઊલટી...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ઊલટીની તકલીફ અંગે.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ઊલટીની સમસ્યા અંગે.

• ફુદીનાનો રસ પીવાથી ઊલટીની તકલીફમાં રાહત થાય છે
• રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી ઊલટી મટે છે
• મરી અને મીઠું વાટીને ફાકવાથી ઊલટી મટે છે
• ગોળને મધમાં મેળવીને લેવાથી ઊલટી મટે છે • આદુંનો રસ ને કાંદાનો રસ મેળવીને પીવાથી ઊલટીમાં રાહત થાય છે
• સૂંઠ અને ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટવાથી ઊલટી મટે છે
• મીઠા લીમડાનાં પાનનો ઉકાળો પીવાથી ઊલટી મટે છે
• તજનો ઉકાળો પીવાથી ઊલટી મટે છે
• લીંબુ કાપી તેના ઉપર ખાંડ ભભરાવીને ચૂસવાથી અન્નવિકારથી થતી ઊલટી મટે છે
• શેરડીનો રસ પીવાથી પિત્તની ઊલટી મટે છે
• તુલસી અને આદુંનો રસ મધ સાથે લેવાથી ઊલટી મટે છે
• એલચી અને તુલસીના પાન ખાવાથી ઊલટી મટે છે
• એલચીના દાણા વાટીને ફાકી મારવાથી અથવા મધમાં ચાટવાથી જીવ ડહોળતો હોય કે ઊલટી થાય એવું લાગતું હોય તો તે મટે છે
• લીંબુ કાપી, તેના ઉપર સૂંઠ, સિંધવ-મીઠું નાખી, ગરમ કરી ચૂસવાથી અજીર્ણની ઊલટી મટે છે
• એક - એક તોલો દ્રાક્ષ અને ધાણા વાટીને પાણીમાં એકરસ કરી પીવાથી પિત્તની ઊલટી મટે છે
• આમલીને પાણીમાં પલાળીને તેનું પાણી ગાળીને પીવાથી પિત્તની ઊલટી મટે છે.

દાદીમાનું વૈદુંઃ ઊલટી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.