દાદીમાનું વૈદુંઃ કાનની પીડા

દાદીમાનું વૈદુંઃ કાનની પીડા...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે કાનની પીડા અંગે.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કાનની પીડા અંગે.

• નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેના ટીપાં નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.

• આંબાના પાનનો રસ ગરમ કરીને તેના ટીપાં નાંખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.

• ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરીને કાનમાં નાખવાથી કાન પાક્યો હોય અને રસી નીકળતી હોય તો તે મટે છે.

• વરિયાળી અધકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો. તે પાણીની વરાળ દુખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનું શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.

• તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.

• કાનમાં કોઈ જીવજંતુ ભરાઈ ગયું હોય તો સરસીયાના તેલના ટીપાં નાંખવાથી તે મરી જાય છે.

• સફેદ કાંદાના રસનાં ટીપાં રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે.

• કાનમાં બગાઈ, કાનખજૂરો જેવા જીવજંતુ ગયાં હોય તો મધ અને તેલ ભેગાં કરી કાનમાં ટીપા નાખવાથી ફાયદો થાય છે. કાનનું શૂળ અને રસી પણ મટે છે.

દાદીમાનું વૈદુંઃ કાનની પીડા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.