દાદીમાનું વૈદુંઃ જીવજંતુના ડંખ

જીવજંતુના ડંખના ઉપચાર માટે આ હાથવગા ઉપાય અજમાવી જૂઓ
• મધમાખીના ડંખ ઉપર સુવા અને સિંધવ-મીઠું પાણી સાથે વાટીને ચોપડવાથી પીડામાં રાહત થાય છે. • મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે • મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે • મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પીવાથી પીડા મટે છે • ભમરીના ડંખ ઉપર કાંદાનો તાજો રસ ચોપડવાથી પીડા મટે છે • કાનખજૂરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઊતરી જાય છે • કાનખજૂરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.
