દાદીમાનું વૈદુંઃ તાવ

દાદીમાનું વૈદુંઃ તાવ...

તાવની તકલીફ નીવારતા ઘરગથ્થુ ઉપચારો

• કોઈ પણ જાતનો તાવ આવ્યો હોય તો બે આનીભાર મીઠું ગરમ પાણીમાં દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઊતરી જાય છે. તાવ ઊતર્યા પછી સવાર-સાંજ દોઢ આનીભાર મીઠું બે દિવસ લેવાથી તાવ ફરી આવતો નથી. • કોઈ પણ જાતનો તાવ આવ્યો હોય તો ફુદીનાનો અને આદુંનો ઉકાળો પીવાથી તાવ ઊતરી જાય છે. • સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતાં મૂકવાથી તાવ ઊતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી. • કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફુદીનાનાં પાન નાખીને ઉકાળી, નીચે ઉતારી, ૧૦ મિનિટ ઢાંકી રાખો. બાદમાં તેમાં મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે. • તુલસી અને સૂરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે. • ફ્લૂના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.

દાદીમાનું વૈદુંઃ તાવ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.