દાદીમાનું વૈદુંઃ દમ-શ્વાસ

દાદીમાનું વૈદુંઃ દમ-શ્વાસ...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો શ્વાસ-બીમારીની તકલીફ વિશે.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો શ્વાસ-બીમારીની તકલીફ વિશે.

• દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈ તેને દીવાની જ્યોત પર ગરમ કરી, પછી તેને છોલીને તેના પર મરીનો ભૂકો ઉપર ભભરાવીને ખાવાથી રાહત થાય છે.
• ઘી સાથે દળેલી હળદર ચાટીને ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ થાય છે.
• બે ચમચી આદુંનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે.
• નિયમિત રીતે ગાજરનો રસ પીવાથી દમના રોગમાં ફાયદો થાય છે.
• હળદર, મરી અને અડદ - એ ત્રણેયને અંગારા પર નાંખી ધુમાડો લેવાથી દમમાં રાહત થાય છે.
• દસ-પંદર  લવિંગ ચાવીને તેનો રસ ગળવાથી દમમાં ફરક પડે છે.
• એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે.
• દરરોજ થોડી ખજૂર ખાઈને ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમમાં રાહત રહે છે.
• બે-ત્રણ સૂકાં અંજીર સવારે અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે અને દમમાં ઘટાડો થાય છે.

દાદીમાનું વૈદુંઃ દમ-શ્વાસ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.