દાદીમાનું વૈદુંઃ પેટના દર્દો

નાની-મોટી શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો પેટનું દર્દ દૂર કરવાના ઉપાય.
• અજમો ફાકીને ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો, અજીર્ણ અને વાયુમાં રાહત વર્તાય છે.
• આદુ અને લીંબુના રસમાં અડધી ચમચી મરીનું ચૂર્ણ નાંખી પીવાથી પેટમાં દુઃખાવો થતો હોય તો આરામ થાય છે.
• અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
• આદું અને ફૂદીના રસમાં સિંધવ-મીઠું નાંખીને પીવાથી પેટનો દુઃખાવો ઘટે છે.
• આદુંનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાંખીને પીવાથી કોઈપણ જાતનો પેટનો દુઃખાવો ઓછો થાય છે.
• શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવામાં રાહત થાય છે.
• જમ્યા પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં સખત દુઃખાવો થાય છે તે માટે સૂંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાંખી સવાર-સાંજ લેવાથી પેટના દુઃખાવાનું પ્રમાણ ઓછું થાય છે.
• લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પાવાથી દુઃખાવો અને આફરો હોય તો ઘટે છે. • લીંબુના રસમાં મૂળાનો રસ મેળવી પીવાથી પેટનો વાયુ અને ગોળો ઓછો થાય છે.
