દાદીમાનું વૈદુંઃ વાળની માવજત

દાદીમાનું વૈદુંઃ વાળની માવજત...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

• વાળ ખરે તો દિવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી ખરશે નહીં.

• માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઊગે છે.

• આમળાં, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખે ભાગે લઈ, વાટીને પાવડર બનાવી રોજ સવાર-સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.

• ખાંડ અને લીંબુનો રસ ભેગાં કરી માથું ધોવાથી જૂ ને ખોડો મટે છે.

• ચણાને છાશમાં પલાળીને, ચણા એકદમ પોચા થાય ત્યારે માથા ઉપર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે.

• તલનાં ફૂલ, ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાંખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે.

• પાશેર કોપરેલમાં ખોબો ભરીને મહેંદીના પાન ઉકાળવાં. તે તેલ રોજ માથામાં લગાડવાથી વાળ વધે છે અને કાળા પણ થાય છે. 

દાદીમાનું વૈદુંઃ વાળની માવજત...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.