દાદીમાનું વૈદુંઃ શીતળા

દાદીમાનું વૈદુંઃ શીતળા...

શીતળાની સારવારમાં ઉપયોગી ઘરગથ્થુ ઉપચાર

• શીતળાનો રોગચાળો ચાલતો હોય ત્યારે આમલીનાં પાન અને હળદર ઠંડા પાણીમાં પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી. • હળદર અને કાથાનું બારીક ચૂર્ણ શીતળાના જામી ગયેલા ઘા પર ભભરાવાથી ફાયદો થાય છે. • ધાણા અને જીરું રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી, તેમાં સાકર નાખી ચાર પાંચ દિવસ પીવાથી શીતળા પછીની શરીરમાં થયેલી ગરમી નીકળી જાય છે. • શીતળા નીકળે ત્યારે ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી તેના વડે આંખો ધોવાથી આંખોમાં શીતળા નીકળતા નથી. • શીતળા નીકળે ત્યારે સોપારીનો બારીક ભૂકો પાણી સાથે પીવાથી શીતળાનું ઝેર સહેલાઈથી નીકળી જાય છે અને વેદના ઓછી થાય છે.

દાદીમાનું વૈદુંઃ શીતળા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.