વિશ્વમાં પ્રથમવાર ભારતે ડેન્ગ્યૂની દવા તૈયાર કરી

વિશ્વમાં પહેલી વાર ભારતીય વિજ્ઞાનીઓએ ડેન્ગ્યૂની દવા વિકસાવી છે. તેનું પ્રારંભિક પરીક્ષણ સફળ રહ્યું છે. આવતા વર્ષ ૨૦૧૯ સુધીમાં તે બજારમાં ઉપલબ્ધ થશે. આયુષ મંત્રાલયના વિજ્ઞાનીઓએ ૭ પ્રકારના ઔષધીય છોડમાંથી આ દવા તૈયાર કરી છે. આ પ્રોજેક્ટમાં જોડાયેલા એક ડઝનથી વધુ વૈદ્યોની બે વર્ષથી વધુની મહેનત બાદ આ દવા તૈયાર થઇ છે. આ દવાનું પરીક્ષણ ઉંદર અને સસલા પર સફળ રહ્યું હતું.
નવી દિલ્હીઃ વિશ્વમાં પહેલી વાર ભારતીય વિજ્ઞાનીઓએ ડેન્ગ્યૂની દવા વિકસાવી છે. તેનું પ્રારંભિક પરીક્ષણ સફળ રહ્યું છે. આવતા વર્ષ ૨૦૧૯ સુધીમાં તે બજારમાં ઉપલબ્ધ થશે. આયુષ મંત્રાલયના વિજ્ઞાનીઓએ ૭ પ્રકારના ઔષધીય છોડમાંથી આ દવા તૈયાર કરી છે.
આ પ્રોજેક્ટમાં જોડાયેલા એક ડઝનથી વધુ વૈદ્યોની બે વર્ષથી વધુની મહેનત બાદ આ દવા તૈયાર થઇ છે. આ દવાનું પરીક્ષણ ઉંદર અને સસલા પર સફળ રહ્યું હતું.
આ પછી મેદાંતા, કોલાર મેડિકલ વગેરે હોસ્પિટલમા સારવાર લઇ રહેલા ડેન્ગ્યૂના ૩૦-૩૦ દર્દી પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું હતું. દવાની કોઈ સાઇડ ઇફેક્ટ પણ થઈ નથી. દર વર્ષે ભારતમાં ડેન્ગ્યૂના લગભગ ૭૦ હજારથી વધુ કેસ નોંધાય છે.
