ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત-પાકિસ્તાન મુકાબલો નહીં?

ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ટેસ્ટ ક્રિકેટને વધુ લોકપ્રિય બનાવવા માટે વર્લ્ડ ચેમ્પિયનશિપનો પ્લાન બનાવ્યો છે. જોકે, આમાં એવું પણ બની શકે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલાઓ ન યોજાય.

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ટેસ્ટ ક્રિકેટને વધુ લોકપ્રિય બનાવવા માટે વર્લ્ડ ચેમ્પિયનશિપનો પ્લાન બનાવ્યો છે. જોકે, આમાં એવું પણ બની શકે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલાઓ ન યોજાય.
એક રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને આઈસીસી ફ્યુચર ટુર્સ એન્ડ ઈવેન્ટ્સની બેઠકમાં એક વાતની સ્પષ્ટતા કરવામાં આવશે કે ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન જે છ દેશો સામે રમવાની છે તેમાંથી પાકિસ્તાનને બાકાત રાખવામાં આવે. એટલે કે ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેચમાં ભાગ નહીં લે. આ બે દિવસીય બેઠક સાત ડિસેમ્બરના રોજ સિંગાપુરમાં યોજાવાની છે. પાકિસ્તાન દ્વારા સીમા પારથી આતંકવાદ ફેલાવાઈ રહ્યો છે. જેના કારણે ભારતીય ટીમ વર્ષ ૨૦૦૭-૦૮ બાદ પાકિસ્તાન સાથે ટેસ્ટ સિરીઝ રમી નથી.
આ બેઠકમાં પાકિસ્તાન સામેની શ્રેણીમાં ભાગ ન લેવા ઉપરાંત બીસીસીઆઈ શ્રેણીના આયોજન અંગે પણ ચર્ચા કરશે. વર્ષ ૨૦૧૯માં જે કાર્યક્રમની શરૂઆત માટે પરવાનગી અપાઈ છે તે અનુસાર ટોચની નવ ટેસ્ટ ટીમો બે વર્ષના સમયગાળામાં ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત છ શ્રેણીમાં ભાગ લેશે. આ દરમિયાન બંને ટીમો ત્રણ શ્રેણી હોમ ગ્રાઉન્ડ પર અને ત્રણ શ્રેણી અન્ય ગ્રાઉન્ડ પર રમશે.

ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.