એક સાક્ષરને એવી ટેવ

પાંચમી જાન્યુઆરી 1892ના રોજ જન્મેલા દેવકૃષ્ણ પીતાંબર જોશીની સિદ્ધિ છે પ્રતિકાવ્ય. 1942માં તેમનો સંગ્રહ પ્રકાશિત થયો ‘કટાક્ષકાવ્ય’માં. તેઓ દલપત - શૈલીના કવિ છે. 

પાંચમી જાન્યુઆરી 1892ના રોજ જન્મેલા દેવકૃષ્ણ પીતાંબર જોશીની સિદ્ધિ છે પ્રતિકાવ્ય. 1942માં તેમનો સંગ્રહ પ્રકાશિત થયો ‘કટાક્ષકાવ્ય’માં. તેઓ દલપત - શૈલીના કવિ છે. 

- એક સાક્ષરને એવી ટેવ

- દેવકૃષ્ણ પીતાંબર જોશી

એક સાક્ષરને એવી ટેવ, પુસ્તક એટલા પૂજે દેવ;
અક્ષરે અક્ષરે કરે વિચાર, વાક્યે વ્યાકરણનો વ્યાપાર;
લીટીઓ વાંચે ને લપ કરે, વેણ ચીપી ચીપી ઉચ્ચરે.
જ્ય્હાં ત્ય્હાં કય્હાંનાં કૌતક કરે; નોંધ લઈ ડાયરીઓ ભરે.
કવન કવે તે જ્યાંત્યાં લવે, જેમ ફાવે એમ ગોઠવે,
ગણે માત્રા ને અક્ષરમેળ, કરે પિંગલડિંગલના ખેલ.
સીધું પડે તો સુતર વહે, નહીંતર આડો મારગ લહે,
સુણે સભા ને દોડ્યો જાય, વણબોલાવ્યો ઊભો થાય.
લાંબી જીભે લબરકા કરે, વણસમજ્યો વિવેચન કરે.
સુણે સૌ તો ધૂણે શીશ, નહીંતર મનમાં રાખે રીસ.
પૂછે કોઈ કવિ સારો કોણ? વાતવાતમાં ઘાલે મોણ.
નાનાલાલ? નનૈયો ભણે, નરસિંહરાવને કૈં ના ગણે!
પ્રેમાનંદની કાઢે પોલ, દયારામ ભગતડા બોલ.
નરસિંહને લાઘવનો લોભ, ભોજામાં વિનયનો ક્ષોભ.
તુલસીદાસ? રજ નિજનું નથી, અખાની તો અવળી મતિ.
નર્મદનો તો વ્યસની તોર, દલપત તો ખુશામતખોર!
દુર્બળિયો કૌમુદીકાર, પાઠક ભટ્ટનો શો વિચાર?
મેઘાણી ચારણિયો ચોર, રાયચુરા તો દુહાખોર!
કવિનું બિરદ જાતે બકે, પોતે મોટો પોતા થકે.
સર અવસર સંમેલન ભરે, નિજની શ્લાઘા સૌમાં કરે!
તંત્રીની ખુશામત કરે, લેખ છપાતાં અધ્ધર ફરે.
બે પૈસા બાપાના રહ્યા, તે સઘળા પોસ્ટેજમાં ગયા!
બોલે બૈરી કપરા બોલ, આંકે કાણી કોડી મોલ.
સાક્ષરથી નિરક્ષર ભલા, ધંધો કરી ઢીબે રોટલા!

•••

એક સાક્ષરને એવી ટેવ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.