શિકાયત ભૂલથી પણ હું નથી કરતો...

શિકાયત ભૂલથી પણ હું નથી કરતો......

શિકાયત ભૂલથી પણ હું નથી કરતો સિતમગરથી...

શિકાયત ભૂલથી પણ હું નથી કરતો...

શિકાયત ભૂલથી પણ હું નથી કરતો સિતમગરથી;
નથી હું આપતો ઉત્તર કદી પથ્થરનો પથ્થરથી.

ઉપેક્ષા પ્રેમની કરશો છતાંયે યાચના કરશું,
કિનારાઓ કદી આઘા થયા છે શું સમંદરથી?
 
હું એ વેધક નજરથી દિલ બચાવી એમ લાવ્યો છું,
કિનારે નાવ લાવે જેમ કો’ તોફાની સાગરથી.

જગતના સહુ તૃષાતુર દિલને જઈને એટલું કહી દો,
કોઈ તરસ્યો નહીં ફરશે અમારા સ્નેહ-સાગરથી.

પુરાણા મિત્રને તરછોડી દે છે વાતવાતોમાં,
કરે છે માનવી એવું નથી થાતું જે ઈશ્વરથી.

મુસાફર તો વિખુટા થાય છે કયારેક મંજિલથી,
એ મંજિલનું શું કહેવું જે વિખુટી થઈ મુસાફરથી.

ગરીબીમાંયે ખુદ્દારીએ બેશક લાજ રાખી છે,
છીએ દિલના તંવગર ‘રાઝ’ શી નિસ્બત તંવગરથી.

શિકાયત ભૂલથી પણ હું નથી કરતો......
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.