અમદાવાદના શાહીબાગ મંદિરે પૂ. મહંત સ્વામીની પધરામણી

પ.પૂ. મહંતસ્વામી મહારાજનું અમદાવાદના શાહીબાગ મંદિર ખાતે આગમન થતા મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે પહોંચ્યા હતા.
પ.પૂ. મહંતસ્વામી મહારાજનું અમદાવાદના શાહીબાગ મંદિર ખાતે આગમન થતા મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. આ સાથે મંદિર સ્વામિનારાણ ભગવાનને ૧૫૦૦ કિલો કેરીનો ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં કેરીની 70થી વધુ જાતોને ધરાવવામાં આવી હતી. આ તમામ કેરી બાદમાં હરિભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવી હતી. પૂ. મહંતસ્વામીના આગમનના પગલે મંદિરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
