આઇડીયુકે દ્વારા ગણેશવિસર્જન
ઇંડિયન ડાયસ્પોરા ઇન યુકે (આઇડીયુકે) દ્વારા સતત બીજા વર્ષે ગણેશ વિસર્જનનું આયોજન કરાયું હતું.
ઇંડિયન ડાયસ્પોરા ઇન યુકે (આઇડીયુકે) દ્વારા સતત બીજા વર્ષે ગણેશ વિસર્જનનું આયોજન કરાયું હતું. બીજા, પાંચમા અને દસમા દિવસે યોજાયેલા ગણેશ વિસર્જન દરમિયાન કુલ 300 પ્રતિમાનું વિસર્જન થયું હતું અને આ ત્રણ દિવસ દરમિયાન 2000થી વધુ શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી. ભારતના સાંસ્કૃતિક વારસાની ઝલક રજૂ કરતા આ કાર્યક્રમની ઉજવણીમાં વિવિધ વર્ગના લોકો સામેલ થયા હતા.
