ગાંધીનગર અક્ષરધામમાં શ્રી નીલકંઠ વર્ણીની 49 ફૂટની ઊંચી પંચધાતુની ભવ્ય મૂર્તિ

ગાંધીનગર અક્ષરધામમાં શ્રી ની

સુપ્રસિદ્ધ અક્ષરધામ સંકુલમાં દીપાવલી નિમિત્તે 10 હજાર દીવડાનો અલૌકિક ઉત્સવ ઉજવાશે અને તેની સાથે સાથે શ્રી નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના થશે. 11 નવેમ્બરે આ માટે ખાસ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ભગવાન નીલકંઠવર્ણી શ્રી સ્વામિનારાયણની તપોમૂર્તિને ભાવાંજલિ થકી આવનારી અનેક પેઢીઓ તપ, જપ તથા સંયમની પ્રેરણા લઇ શકે તે માટે અક્ષરધામ સંકુલમાં પંચધાતુની આ મૂર્તિ સ્થપાઇ રહી છે. 

ગાંધીનગરઃ સુપ્રસિદ્ધ અક્ષરધામ સંકુલમાં દીપાવલી નિમિત્તે 10 હજાર દીવડાનો અલૌકિક ઉત્સવ ઉજવાશે અને તેની સાથે સાથે શ્રી નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના થશે. 11 નવેમ્બરે આ માટે ખાસ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ભગવાન નીલકંઠવર્ણી શ્રી સ્વામિનારાયણની તપોમૂર્તિને ભાવાંજલિ થકી આવનારી અનેક પેઢીઓ તપ, જપ તથા સંયમની પ્રેરણા લઇ શકે તે માટે અક્ષરધામ સંકુલમાં પંચધાતુની આ મૂર્તિ સ્થપાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે નીલકંઠવર્ણી ભગવાન સ્વામિનારાયણના કિશોર સ્વરૂપા છે. 11 નવેમ્બરે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે વૈદિક યજ્ઞવિધિ સાથે પંચધાતુની આ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે.
ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર 49 વર્ષ બિરાજમાન રહ્યા હતા તેની સ્મૃતિમાં આ મૂર્તિની ઊંચાઈ 49 ફૂટ રાખવામાં આવી છે. આ મૂર્તિ બિરાજમાન થશે ત્યાં મનને શાંતિ અને પવિત્ર પ્રેરણાઓથી ભરી દે તેવી સુંદર નીલકંઠવાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે. દીપાવલીના પર્વે દર્શનાર્થીઓ 8 નવેમ્બર સુધી રોજ સાંજે દીવડાઓ તેમજ ગ્લો ગાર્ડનથી આલોકિત અક્ષરધામ દર્શનનો લ્હાવો
માણી શકશે.

ગાંધીનગર અક્ષરધામમાં શ્રી ની
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.