છ ગામ નાગરિક મંડળના નવનિયુક્ત હોદ્દેદારો
છ ગામ નાગરિક મંડળ સંસ્થાની એક્ઝિક્યુટિવ કમિટીની મિટીંગ 17 ઓગસ્ટના રોજ ધર્મજ સોસાયટીના હોલમાં યોજવામાં આવી હતી.
છ ગામ નાગરિક મંડળ સંસ્થાની એક્ઝિક્યુટિવ કમિટીની મિટીંગ 17 ઓગસ્ટના રોજ ધર્મજ સોસાયટીના હોલમાં યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે જયરાજભાઇ ભાદરણવાલા, સેક્રેટરી તરીકે વસોના નયનેશભાઇ પટેલ અને ટ્રેઝરર તરીકે ભાદરણના નરેન્દ્રભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી. તસવીરમાં એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો નજરે પડે છે.
