ધનુર્માસમાં કડકડતી ઠંડીને લીધે ભગવાન જગન્નાથને ગરમ વસ્ત્રો પહેરાવાયાં

ધનુર્માસનો પ્રારંભ થયા પછી જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. ધનુર્માસમાં કડકડતી ઠંડી પડતી હોવાથી તાપણાં માટે ભગવાન સમક્ષ સગડી પણ મૂકવામાં આવી છે. હાલ ભગવાનને બ્લેન્કેટ, રજાઈ, ગરમ ટોપી જેવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. શિયાળો હોવાથી મંદિરમાં ભગવાનને વિવિધ સુહાગ પાક તેમજ ગરમ મસાલાથી તૈયાર કરાયેલો થાળ ધરાવવામાં આવે છે તેમજ પ્રસાદમાં ખીચડો આપવામાં આવે છે. મહંત દિલીપદાસજીના જણાવ્યા અનુસાર ખુદ ભગવાને કહ્યું છે કે, ધનુર્માસમાં જપ - તપ અને વ્રતનું વિશેષ મહત્ત્વ છે. આ માસમાં કરેલા વ્રત, દાન, જપનું અનેકઘણું ફળ મળે છે.
ધનુર્માસનો પ્રારંભ થયા પછી જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. ધનુર્માસમાં કડકડતી ઠંડી પડતી હોવાથી તાપણાં માટે ભગવાન સમક્ષ સગડી પણ મૂકવામાં આવી છે. હાલ ભગવાનને બ્લેન્કેટ, રજાઈ, ગરમ ટોપી જેવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. શિયાળો હોવાથી મંદિરમાં ભગવાનને વિવિધ સુહાગ પાક તેમજ ગરમ મસાલાથી તૈયાર કરાયેલો થાળ ધરાવવામાં આવે છે તેમજ પ્રસાદમાં ખીચડો આપવામાં આવે છે. મહંત દિલીપદાસજીના જણાવ્યા અનુસાર ખુદ ભગવાને કહ્યું છે કે, ધનુર્માસમાં જપ - તપ અને વ્રતનું વિશેષ મહત્ત્વ છે. આ માસમાં કરેલા વ્રત, દાન, જપનું અનેકઘણું ફળ મળે છે.
