નીસડન મંદિરની મુલાકાતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મંગળવારે લંડન ‘નીસડન મંદિર’ તરીકે જાણીતા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઇને નિલકંઠવર્ણીને અભિષેક કર્યો હતો.
લંડનઃ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મંગળવારે લંડન ‘નીસડન મંદિર’ તરીકે જાણીતા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઇને નિલકંઠવર્ણીને અભિષેક કર્યો હતો. આ પ્રસંગે મંદિરના કોઠારી યોગવિવેકદાસ સ્વામીએ તેમનું સ્વાગત કર્યું હતું. બ્રિટનના બે દિવસના સત્તાવાર પ્રવાસે આવેલા રાજનાથ સિંહ સાથે બ્રિટનસ્થિત ભારતીય હાઇકમિશનર દોરાઇસ્વામી તેમજ ભારતીય સંરક્ષણ મંત્રાલયના પ્રતિનિધિ મંડળના સભ્યો પણ જોડાયા હતા.
