પૂ. મહંત સ્વામીનું સુરતમાં વિચરણ

BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. રવિવારે તેઓ રવિ સત્સંગ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંતો અને હરિભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે ઓનલાઈન IPDC કોર્સને પણ ખૂલ્લો મૂક્યો હતો. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાનો લાભ સુરત ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે લઈ રહ્યા છે. તેઓ નિયમિતપણે શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષાનું પઠન કરે છે. આ ઉપરાંત, યોગીવાણી પર તેઓ સત્સંગ કરે છે.
BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. રવિવારે તેઓ રવિ સત્સંગ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંતો અને હરિભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે ઓનલાઈન IPDC કોર્સને પણ ખૂલ્લો મૂક્યો હતો. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાનો લાભ સુરત ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે લઈ રહ્યા છે. તેઓ નિયમિતપણે શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષાનું પઠન કરે છે. આ ઉપરાંત, યોગીવાણી પર તેઓ સત્સંગ કરે છે.
પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે નિયમિતપણે સત્સંગ કરે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે 8 વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે 7 (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે 8 વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે 5.30થી 7 દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.
