વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. પૂ. બાપુએ આ પ્રસંગે આસપાસની ખુલ્લી જમીનમાં નિહાળીને ત્યાં પણ વૃક્ષારોપણની હાકલ કરી હતી આ વાતની જાણ થતાં જ રાજકોટના સિનિયર સિટિઝન હોમ્સના અગ્રણીઓ નીલેશ વાવડિયા, વિજય ડોબરિયા અને મિત્તલ ખેમાણીએ સમગ્ર સંકુલમાં વૃક્ષારોપણનું બિડુ ઝડપી લઇને 24 જ કલાકમાં વૃક્ષારોપણની કામગીરી શરૂ કરી દીધી હતી.
