શતાબ્દી મહોત્સવની મુલાકાતે એક દિવસમાં 2.10 લાખ લોકો

અમદાવાદના એસપી રિંગ રોડ પર ઓગણજ ખાતે ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં રવિવારની રજાના દિવસે 2.10 લાખથી વધુ ભક્તોએ મુલાકાત લીધી હતી.
અમદાવાદના એસપી રિંગ રોડ પર ઓગણજ ખાતે ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં રવિવારની રજાના દિવસે 2.10 લાખથી વધુ ભક્તોએ મુલાકાત લીધી હતી. મહોત્સવમાં આવેલા લોકોમાં અત્યાર સુધીની આ સૌથી મોટી સંખ્યા હતી. બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના ચાર કલાકમાં જ લગભગ 1.40 લાખ લોકો ઉમટ્યા હતા, ભારે ધસારાને કારણે ઓગણજને જોડતાં રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
