શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન ખાતે શ્રી નરનારાયણ દેવ ભૂજ પાટોત્સવનું આયોજન
પૂ. મહંતસ્વામી અને મહારાજશ્રીના આશીર્વાદથી શ્રી નરનારાયણ દેવ ભૂજ પાટોત્સવનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન ખાતે 28મી એપ્રિલ ગુરુવારથી લઇને 2 મે શનિવાર સુધી કરવામાં આવ્યું છે. ભૂજસ્થિત પૂજ્ય સંતો દ્વારા દરરોજ સાંજે ખાસ પુરુષોત્તમ પ્રકાશ પારાયણ પણ યોજાય છે. આ ઉજવણી દરમિયાન મળનાર દાનનો ઉપયોગ કોવિડ-19 મહામારીમાં દાન માટે કરવામાં આવશે. તેમ વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ કુરજી કેરાઈએ એક નિદેવનમાં જણાવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સોશિયલ મીડિયાના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.
લંડનઃ પૂ. મહંતસ્વામી અને મહારાજશ્રીના આશીર્વાદથી શ્રી નરનારાયણ દેવ ભૂજ પાટોત્સવનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન ખાતે 28મી એપ્રિલ ગુરુવારથી લઇને 2 મે શનિવાર સુધી કરવામાં આવ્યું છે. ભૂજસ્થિત પૂજ્ય સંતો દ્વારા દરરોજ સાંજે ખાસ પુરુષોત્તમ પ્રકાશ પારાયણ પણ યોજાય છે. આ ઉજવણી દરમિયાન મળનાર દાનનો ઉપયોગ કોવિડ-19 મહામારીમાં દાન માટે કરવામાં આવશે. તેમ વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ કુરજી કેરાઈએ એક નિદેવનમાં જણાવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સોશિયલ મીડિયાના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ગુરુવાર અને શુક્રવારે સાંજે 6 કલાકે આરતી યોજાશે અને 6.30 કલાકે કથાનો પ્રારંભ થશે. શનિવારે સાંજે પાંચ વાગ્યે આરતી તથા 5.30 કલાકે કથાનો પ્રારંભ થશે. જે ભક્તો આ પાટોત્સવનો લાભ લેવા માંગતા હોય તેઓ ઓનલાઇન જોડાઈ શકશે તેમ પણ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
