હોમ ટિપ્સ

Thursday 05th August 2021 08:31 EDT
 

રોજિંદા જીવનને આસાન બનાવતા કેટલાક ઘરગથ્થુ નુસ્ખા...

• તમાલપત્રને ઉકાળી તેના પાણીથી કોગળા કરવાથી ટોન્સિલમાં રાહત થશે.
• નાનું બાળક ભૂખ્યું થયું હોય અને દૂધ ન હોય તો એક ગ્લાસ પાણીમાં બે-ત્રણ ચમચી મધ ભેળવી પીવડાવવાથી રાહત થશે.
• ક્રોકરી ધોતી વખતે સિન્કમાં જાડો ટુવાલ પાથરવો જેથી તૂટવાનો ભય ઓછો રહે છે.
• લાલ ટામેટાંનો રસ મીઠું ભેળવી સવારે નયણા કોઠે પીવો. ૩૦ મિનિટ કાંઇ ખાવું-પીવું નહીં. પેટમાંના કૃમિ નાશ પામશે.
• કાંદાનો રસ પીવાથી કરમિયાંની તકલીફ દૂર થાય છે. • એલ્યુમિનિયમના પ્રેશર કુકરમાંથી ડાઘા દૂર કરવા કાંદાનો ટુકડો ઘસ્યા બાદ રગડીને ધોઈ નાખવું.
• અજમાને તવા પર શેકી તેનો બારીક ભુક્કો કરવો. અજમાના પાઉડરથી દાંત ઘસવાથી દાંત સાફ થશે અને પેઢાં મજબૂત પણ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter