સામગ્રીઃ કેરીનો રસ ૧ વાટકી • ઘઉંનો લોટ દોઢ વાટકી • ચણાનો લોટ અડધી વાટકી • લાલ મરચું ૨ ચમચી • લીલું મરચું ૨ ચમચી • આદું ૨ ચમચી • કાપેલાં મરચાં ૧ ચમચી • ધાણાજીરું ૨ ચમચી • મીઠું સ્વાદ મુજબ • તેલ ૨ ચમચી
વઘાર માટેઃ તેલ ૩ ચમચી • રાઈ ૧ ચમચી
રીતઃ બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, લાલ મરચું, લીલું મરચું, આદું, કાપેલાં મરચાં, તેલ નાખી મિક્સ કરી દો. આ પછી તેમાં કેરીનો રસ નાંખીને એકદમ મિક્સ કરો. ત્યારબાદ મુઠિયાં વાળીને ૧૦ મિનિટ માટે બાફવા મૂકવા મૂકો અને ઠંડા પડ્યાં પછી કાપી લો. એક પેનમાં તેલ, રાઈ, સૂક્કાં લાલ મરચાં, કાપેલા લીલાં મરચાં, તલ નાંખીને વઘાર તૈયાર કરો અને મુઠિયાં પર રેડી દો. લીલી કોથમીરથી સજાવીને સર્વ કરો.