સામગ્રીઃ પનીર - ૫૦૦ ગ્રામ • કેસર - જરૂર પૂરતું • દૂધ - ૧ ચમચો • ખાંડ - ૩૫૦ ગ્રામ • પાણી - ૫ કપ
રીત: સૌથી પહેલાં પનીરનું પાણી નિતારી લઈને તેને હથેળીથી ખૂબ મસળી લો. દૂધમાં કેસર ઘોળીને તે પનીરમાં મિક્સ કરો. મિશ્રણ એકસરખું અને ચીકાશયુક્ત થાય એટલે તેમાંથી ૧૪-૧૫ ગોળા વાળો. હવે એક તપેલીમાં ખાંડ અને પાણી મિક્સ કરી મધ્યમ આંચે પાંચ-દસ મિનિટ ઉકાળો. તેમાં માવાના ગોળા નાખો અને ફરી અડધા કલાક સુધી ઉકાળો. આ દરમિયાન ઊકળતા પાણીને ચમચાથી રસગુલ્લા પર નાખતા રહો, જેથી ચાસણી એકદમ ઘટ્ટ ન થઈ જાય. રસગુલ્લા જ્યારે ચાસણીમાં બરાબર ઉપર આવી જાય ત્યારે આંચ પરથી ઉતારી લો. ઠંડું પડે એટલે રસગુલ્લાને ફ્રીઝમાં મૂકીને એકદમ ઠંડા કરયા બાદ સર્વ કરો.