દાદીમાનું વૈદુંઃ અજીર્ણ - ભૂખ ન લાગવી

Saturday 18th January 2020 05:34 EST
 
 

• જમવા પહેલા આદુંની કચુંબર સહેજ સિંધવ-મીઠું નાંખીને ખાવાથી અજીર્ણ મટે છે અને ભૂખ સારી લાગે છે.

• ફૂદીનાના રસમાં સંચળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.

• અડધી ચમચી અજમો, ચપટી સિંધવ-મીઠું લીંબુના શરબતમાં મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.

• એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી આદુંનો રસ ને બે ચમચી મધ મેળવીને પીવાથી અજીર્ણ મટે છે. 

• પાકા અનાનસના કટકા કરીને તેની ઉપર મરી અને સિંધવ-મીઠું ભભરાવી ખાવાથી અજીર્ણ મટે છે.

• એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુંનો રસ અને ચપટી સિંધવ મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter