દાદીમાનું વૈદુંઃ આંખની પીડા

Monday 23rd December 2019 06:52 EST
 
 

• ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દૃષ્ટિ વધે છે.

• ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચૂનો કે આકડાના દૂધ પડે તેથી થતી બળતરામાં આંખમાં દિવેલ આંજવાથી આરામ થાય છે.

• આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહારથી ઘી ઘસવાથી શાંતિ થાય છે.

• આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે.

• હળદરના ૨-૪ ગાંઠિયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્ત પહેલાં પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફૂલું, રતાશ પડતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે.

• રોજ તાજું માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. આંખોની રતાશ અને બળતરા મટે છે.

• ધોળા મરીને દહીમાં અથવા મધમાં ઘસીને સવાર-સાંજ આંજવાથી રતાંધળાંપણું મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter