દાદીમાનું વૈદુંઃ કબજિયાત

Sunday 12th April 2020 06:19 EDT
 
 

કબજિયાતની તકલીફ હોય તો આ ઉપાયો અજમાવી જૂઓ.

• અજમો અને સોનામુખીનું ચૂર્ણ હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.

• પાકાં ટામેટાંનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.

• નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

• રાત્રે સહેજ ગરમ કરેલાં પાણીમાં થોડું મીઠું નાંખી પીવાથી કબજિયાત મટે છે.

• લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.

• ખજૂરને રાત્રે પલાળી રાખો. સવારે તેને મસળીને  ગાળી લો. આ પાણી પીવાથી કબજિયાત મટે છે.

• ગરમ પાણીમાં એક ચમચી આદુંનો રસ, એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter