દાદીમાનું વૈદુંઃ કમળો

Monday 14th June 2021 06:57 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કમળા વિશે.

• મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.
• મધમાં પાકાં કેળાં ખાવાથી કમળો મટે છે.
• આદુંનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
• સૂંઠ અને ગોળ ખાવાથી કમળામાં રાહત રહે છે.
• સફેદ કાંદો, ગોળ અને થોડી હળદર મેળવી સવાર-સાંજ ખાવાથી કમળામાં ફરક લાગે છે.
• હળદરનું ચૂર્ણ તાજી છાશમાં નાંખીને સવાર-સાંજ પીવાથી કમળામાં એક અઠવાડિયામાં આરામ મળે છે.
• શેરડીને રાત્રે ઝાકળમાં રાખી સવારે તેને ચૂસીને ખાવાથી કમળાનું પ્રમાણ ઘટે છે.
• લીંબુની ચીરી ઉપર સોડા-બાયકાર્બ નાખીને સવારના પહોરમાં ચૂસવાથી કમળો ઓછો વધે છે.
• ૧૦૦થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨થી ૪ ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી કમળાની બીમારીમાં ત્રણ-ચાર દિવસમાં રાહત જોવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter