દાદીમાનું વૈદુંઃ ખીલ

Monday 02nd August 2021 08:33 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ખીલની સમસ્યા વિશે.

• મૂળાનાં પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટવાની શક્યતા રહે છે.
• જાંબુના ઠળિયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલમાં રાહત અનુભવાય છે.
• દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલની બળતરા ઓછી લાગે છે.
• જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલનું પ્રમાણ ઘટવાની શક્યતાઓ વધે છે.
• નારંગીની છાલ ઘસવાથી ખીલની બળતરા ઘટે છે.
• લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મોં ધોવાથી ખીલમાં રાહત લાગે છે.
• છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘા, મોં પરથી કાળાશ ઘટતી હોય તેવું લાગે છે.
• રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોઈ, ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોં પર લગાવીને સવારે સાબુથી મોં ધોવાથી ખીલમાં ઘટાડો લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter