દાદીમાનું વૈદુંઃ ગળાની તકલીફ

Sunday 12th July 2020 06:30 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... ગળાની તકલીફ હોય તો આટલું કરી શકો.

• ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી રાહત થાય છે.
• પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવિંગ રાખવાથી બળતરા ઓછી લાગે છે.
• મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોની ચાંદી અને ગળાની બળતરામાં ફરક લાગે છે.
• ટંકણખારને પાણીમાં ઓગાળી કોગળા કરવાથી મોંની ચાંદી તથા જીભની ચાંદી ઘટે છે.
• બાવળની છાલ ઉકાળી કોગળા કરવાથી મોંની ચાંદી ઓછી થાય છે.
• ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી રાહત અનુભવાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter