શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો જીવજંતુના ડંખનો ઉપચાર.
• મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડામાં રાહત અનુભવાય છે.
• મધમાખીના ડંખ પર તપકીર અથવા ઝીણી કાતરેલી તમાકુ ચોપડવાથી પીડા ઓછી લાગે છે.
• મધમાખીના ડંખ ઉપર સુવા અને સિંધવ-મીઠુ પાણી સાથે વાટીને ચોપડવાથી પીડા ઘટે છે.
• કાનખજૂરાના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.
• કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરીને કાનમાં ટીપાં નાંખવાથી કાનખજૂરો નીકળી જશે.
• કાનખજૂરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયાં હોય તો મધ અને તેલ ભેગાં કરી કાનમાં નાંખવાથી નીકળી જશે અને આરામ થશે.
• કોઈ પણ ઝેરી જીવ કે જંતુ કરડ્યું હોય તો તરત તુલસીનાં પાન પીસીને લગાવવાથી ઝેરની અસરમાં ઘટાડો થાય છે.