દાદીમાનું વૈદુંઃ જીવ-જંતુના ડંખ

Sunday 09th August 2020 06:12 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો જીવજંતુના ડંખનો ઉપચાર.

• મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડામાં રાહત અનુભવાય છે.
 • મધમાખીના ડંખ પર તપકીર અથવા ઝીણી કાતરેલી તમાકુ ચોપડવાથી પીડા ઓછી લાગે છે.
• મધમાખીના ડંખ ઉપર સુવા અને સિંધવ-મીઠુ પાણી સાથે વાટીને ચોપડવાથી પીડા ઘટે છે.
• કાનખજૂરાના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.
• કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરીને કાનમાં ટીપાં નાંખવાથી કાનખજૂરો નીકળી જશે.
• કાનખજૂરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયાં હોય તો મધ અને તેલ ભેગાં કરી કાનમાં નાંખવાથી નીકળી જશે અને આરામ થશે.
• કોઈ પણ ઝેરી જીવ કે જંતુ કરડ્યું હોય તો તરત તુલસીનાં પાન પીસીને લગાવવાથી ઝેરની અસરમાં ઘટાડો થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter