દાદીમાનું વૈદુંઃ દમ - શ્વાસ

Saturday 06th July 2019 14:43 EDT
 
 

• દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈ, તેને દીવાની જ્યોત પર ગરમ કરી, પછી તેને છોલીને મરીનો ભૂકો ઉપર ભભરાવીને ખાવાથી આરામ થાય છે. • ઘી સાથે દળેલી હળદર ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ થાય છે. • બે ચમચી આદુંનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે. • રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે. • હળદર, મરી અને અડદ એ ત્રણને અંગારા પર નાખી ધુમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે. • દસ પંદર લવિંગ ચાવીને તેનો રસ ગળવાથી દમ મટે છે. • એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે. • દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમ મટે છે. અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter